Scholarship For Ssc And HSC Exam Pass Student FuLL Details
There are various scholarships available for students who have passed their SSC (Secondary School Certificate) and HSC (Higher Secondary Certificate) examinations. These scholarships are often offered by government bodies, educational institutions, and private organizations. The availability and eligibility criteria for scholarships may vary depending on your country, region, and specific circumstances. Here are a few common
આદર્શ નિવાસી શાળા એડમીશન નિયમોઆ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધો.૧૧ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતાં વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajkalvan.gujarat.gov.in પર તા.૩૧/૫/૨૦૨૩ થી તા.૨૫/૬/૨૦૨૩ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે.
આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો www.esamajkalvan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ સમાંતરે ઉક્ત વેબસાઈટ જોવાની રહેશે. પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS અને E-mail મારફત જાણ કરવામાં આવશે.
ઓનલાઈન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી મેરીટ યાદીમાં આવેલ વિદ્યાર્થીઓએ સબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.
શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી તેમજ સરકારશ્રીના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે. જેથી, અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિં.
પ્રવેશ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.
અગત્યની લીંક
કુમાર માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ અહિં ક્લીક કરો
ક્ન્યા માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ અહિં ક્લીક કરો
ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો